You are currently browsing the daily archive for September 3rd, 2007.
02/09/2007, સોમવાર –શ્રાવણ વદ છઠ 2063
આવતી કાલે જન્માષ્ટમીના પવિત્ર પર્વ નિમિત્તે ગીતામ્રૂતનું પાન સાથે કરીએ.
અધ્યાય બીજો, શ્લોક 54 થી 72 અર્જુન બોલ્યા– સમાધિમાં સ્થિતપ્રજ્ઞ જાણવો કેમ કેશવ? બોલે, રહે, ફરે, કેમ, મૂનિ જે સ્થિર બુદ્ધિનો—54 હે કેશવ! સ્થિતપ્રજ્ઞના એટલે કે સમાધિસ્થના શાં ચિહ્ન(લક્ષણો) હોય ?સ્થિતપ્રજ્ઞ કેવી રીતે બોલે, બેસે અને ચાલે?—54
શ્રી ભગવાને કહ્યું—
મનની કામના સર્વે છોડીને આત્મમાં જ જે, રહે સંતુષ્ટ આત્માથી, તે સ્થિતપ્રજ્ઞ જાણવો—55
હે પાર્થ! જ્યારે મનમાં ઊઠતી બધી કામનાઓનો મનુષ્ય ત્યાગ કરેછે અને આત્મામાં આત્મા વડે જ સંતુષ્ટ રહેછે ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે.—55
દુઃખે ઉદ્વેગ ના ચિત્તે, સુખોની ઝંખના ગઇ, ગયા રાગ ભય ક્રોધ, મૂનિ તે સ્થિરબુદ્ધિનો.—56
દુઃખોથી જે દુઃખી ન થાય, સુખોની ઝંખના (ઇચ્છા) ન રાખે અને જે રાગ, ભય અને ક્રોધથી રહિત હોય તે મુનિ સ્થિરબુદ્ધિ કહેવાય છે.—56
આસક્ત નહીં જે ક્યાંય, મળ્યે કાંઇ શુભાશુભ. ન કરે હર્ષ કે દ્વેષ, તેની પ્રજ્ઞા થઇ સ્થિર.—57
જે બધે રાગ રહિત છે અને શુભ પામતાં તેને નથી આવકાર આપતો અથવા અશુભ પામીને નથી અકળાતો તેની બુદ્ધિ સ્થિર છે.—57
કાચબો જેમ અંગોને, તેમ જે વિષયો થકી, સંકેલે ઇંન્દ્રિયો પૂર્ણ, તેની પ્રજ્ઞા થઇ સ્થિર.—58
કાચબો સર્વ કોરથી અંગો સમેટી લે તેમ આ પુરુષ જ્યારે ઇન્દ્રિયોને તેમના વિષયોમાંથી સમેટી લે છે ત્યારે તેની બુદ્ધિ સ્થિર થઇ છે એમ કહેવાય.—58
નિરાહારી શરીરીના ટળે છે વિષયો છતાં, રસ રહી જતો તેમાં, એ ટળે પેખતા પરં.—59 દેહધારી જ્યારે નિરાહારી રહેછે ત્યારે તેના વિષયો મોળા પડેછે જરૂર;પણ (વિષય પરત્વેનો) એનો રસ નથી જતો; તે રસ તો પરવસ્તુના દર્શનથી, પરમાત્માનો સાક્ષાત્કાર થવાથી શમેછે.—59
પ્રયત્નમાં રહે તો યે શાણા યે નરના હરે, મનને ઇંદ્રિયો વેગથી વિષયો ભણી.—60 હે કૌંતેય ! ડાહ્યો પુરુષ યત્ન કરતો હોય છતાં ઇન્દ્રિયો એવી વલોવી નાખનારી છે કે તેનું મન બળાત્કારે હરી લે છે.—60
યોગથી તે વશે રાખી રહેવું મત્પરાયણ, ઇન્દ્રિયો સંયમે જેની, તેની પ્રજ્ઞા થઇ સ્થિર.—61 એ બધી ઇન્દ્રિયોને વશમાં રાખી યોગીએ મારામાં તન્મય થઇ રહેવું જોઇએ. કેમ કે પોતાની ઇન્દ્રિયો જેના વશમાં છે તેની જ બુદ્ધિ સ્થિર રહેછે.—61

Recent Comments