You are currently browsing the monthly archive for મે 2020.

[Enter Post Title Here]

 

 

a   ઊઘડ્યાં દ્વાર  અંતરનાં

એઈલીન કેડી

ભાવાનુવાદ: સોનલ પરીખ

પ્રકાશક : આર.આર.શેઠ એન્ડ કંપની પ્રા. લિ.

માર્ચ-31

જ્યારે તમે જીવન સાથે ભયમાં હશો. તમે જોશો કે તમે બધું બરાબર અને યોગ્ય સમયે કરોછો.તેથી એ લય સાચવો, પોતાની અંદરના મૌનમાં મારી સાથે પ્રત્યક્ષ સંપર્ક સાધો. એથી જ શાંતિ અને મૌન અત્યંત મહત્ત્વનાં છે. તમને એનું પૂરું મહત્ત્વ કદાચ સમજાશે નહીં.વાદ્યનો સૂર જો મેળવેલો ન હોય તો સંગીતના બદલે કોલાહલ જન્મે છે. તમારું પણ તેમજ છે. મારી સાથે લય ન મળે ત્યારે તમારી અંદર પણ વિસંવાદ સર્જાય છે.

વાદ્ય મેળવેલું હોવું જોઈએ અને તમારો હાથ પણ મારી સાથે મેળવેલો હોવો જોઈએ. આ લય, તમે શાંત અને નીરવ ન થાઓ તો ન મળે. દોડાદોડીમાં. ધમાલમાં, જેમ વાદ્યમાં તેમ તમારામાં પણ સંગીત પ્રગટતું નથી, સૂર મળતો નથી. મૌનમાં તમે સ્વરોને બરાબર સાંભળી શકો છો, મેળવી શકો છો. અંદરની નીરવતામાં જ તમે મારો ધીમો, શાંત અવાજ સાંભળી શકશો અને ત્યારે જ હું તમને કહી શકીશ કે તમારે શું કરવું.

મારી વ્હાલી દિકરી ચિ. તૃપ્તિ સમીર ગાંધી ના જન્મદિન (15 મે) નિમિત્તે તેની આધ્યાત્મિક્તાને સમર્પિત

. ઊઘડ્યાં દ્વાર  અંતરનાં

એઈલીન કેડી

ભાવાનુવાદ: સોનલ પરીખ

પ્રકાશક : આર.આર.શેઠ એન્ડ કંપની પ્રા. લિ.

માર્ચ—25

 

જેમ વધુ ને વધુ પ્રેમ આ પૃથ્વી પર પ્રસરતો જાય છે, તેમ એક અદભુત આરોગ્યપ્રદ સ્થિતિ ઊભી થાય છે—જાણે કોઈ દર્દશામક દવા વડે ઘા રુઝાતો હોય તેવી. અને શરીર અખંડ થતું જાય છે. પ્રેમ હંમેશાં વ્યક્તિની અંદર જાગે છે. જ્યારે તે તમારામાં જાગૃત થાય છે, બીજમાંથી અંકુર ફૂટે તેમ પ્રગટે છે અને અદ ભુત સૌંદર્ય અને ભરપૂરતાથી વ્યક્ત થાય છે. આ જ ક્ષણે તે બની રહ્યું છે. તે ઘણા લોકો એવું અનુભવે છે કે તેમનામાં કંઈક અવનવું થઈ રહ્યું

છે. પણ તેઓ વિહવળ થઈ જાય છે અને જે બની રહ્યું છે તેના મર્મને સમજી શકતા નથી.

અમુક કોઈ મંથન અનુભવે છે, પણ એ અનુભવ નવો અને અજાણ્યો હોવાથી તેનાથી ભયભીત થાય છે અને તેને અટકાવવાની કોશિશ કરે છે. પ્રેમ જ્યારે બંધનમુક્ત થાય છે ત્યાર પછી તેને કશું અટકાવી શકતું નથી. એ અલ્લાદીનના ચિરાગમાં કેદ થયેલા જીન જેવો છે. એક વાર મુક્ત થાય, પછી તેને પાછો બાંધી શકાતો નથી. તે ગુપ્ત રહી શકતો નથી કે તેની ઉપેક્ષા થઈ શકતી નથી. ધીરે ધીરે એ આપમેળે સર્વત્ર જાગશે અને સઘળામાં વસી જશે.

માર્ચ—26

સીડી હંમેશાં એક ઉપરનું પગથિયું ચડવા માટે હોય છે. કદી હ્રદયને નબળું ન પડવા દો. આગળ વધો, ઉપર ચઢો અને સર્વોચ્ચને પામી લો. જીવન એક પ્રવાહ છે, એક પરિવર્તન છે, એક વિકાસ છે. કોઈ કદી જે સ્થિતિમાં હોય તેમાં હંમેશ માટે રહેતું નથી.  પ્રકૃતિમાં જડતાને કોઈ સ્થાન નથી. એમાં પરિવર્તન, વિકાસ, વિસ્તાર સતત ચાલે છે. એક સ્તર પરથીબીજા સ્તર પર સતત જવાતું હોય છે. કૂંપળમાંથી વૃક્ષ બને છે. કળીમાંથી ફૂલ અને બીજમાંથી ધાન્ય પેદા થાય છે.

પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે . જો તમારામાં પરિવર્તન ન આવ્યું હોય તો જરૂર તમારામાં કોઈ ખામી શોધી તેને દૂર કરવી જોઈએ. પરિવર્તનને અટકાવો કે નકારો નહીં તેની સાથે એકરૂપ થાઓ અને તેને સ્વીકારો.પરિવર્તન મનગમતું કે સગવડભર્યું ન પણ હોય. થોડી અગવડને પણ અપનાવતાં શીખો જેથી નવું તેજ પ્રગટી શકે. તમને અને વિશ્વને નવું રૂપ મળે.તમારામાં તમારું એક જૂદું અસ્તિત્વ ખીલે—પ્રકાશ, પ્રેમ અને પ્રેરણાથી ભરપૂર અસ્તિત્વ.

——————————————