You are currently browsing the daily archive for મે 15, 2020.

[Enter Post Title Here]

 

 

a   ઊઘડ્યાં દ્વાર  અંતરનાં

એઈલીન કેડી

ભાવાનુવાદ: સોનલ પરીખ

પ્રકાશક : આર.આર.શેઠ એન્ડ કંપની પ્રા. લિ.

માર્ચ-31

જ્યારે તમે જીવન સાથે ભયમાં હશો. તમે જોશો કે તમે બધું બરાબર અને યોગ્ય સમયે કરોછો.તેથી એ લય સાચવો, પોતાની અંદરના મૌનમાં મારી સાથે પ્રત્યક્ષ સંપર્ક સાધો. એથી જ શાંતિ અને મૌન અત્યંત મહત્ત્વનાં છે. તમને એનું પૂરું મહત્ત્વ કદાચ સમજાશે નહીં.વાદ્યનો સૂર જો મેળવેલો ન હોય તો સંગીતના બદલે કોલાહલ જન્મે છે. તમારું પણ તેમજ છે. મારી સાથે લય ન મળે ત્યારે તમારી અંદર પણ વિસંવાદ સર્જાય છે.

વાદ્ય મેળવેલું હોવું જોઈએ અને તમારો હાથ પણ મારી સાથે મેળવેલો હોવો જોઈએ. આ લય, તમે શાંત અને નીરવ ન થાઓ તો ન મળે. દોડાદોડીમાં. ધમાલમાં, જેમ વાદ્યમાં તેમ તમારામાં પણ સંગીત પ્રગટતું નથી, સૂર મળતો નથી. મૌનમાં તમે સ્વરોને બરાબર સાંભળી શકો છો, મેળવી શકો છો. અંદરની નીરવતામાં જ તમે મારો ધીમો, શાંત અવાજ સાંભળી શકશો અને ત્યારે જ હું તમને કહી શકીશ કે તમારે શું કરવું.